વ્‍યકિતની ઉકિત અને સૂત્રો

વ્‍યકિતની ઉકિત અને સૂત્રો

વ્‍યકિતની ઉકિત અને સૂત્રો

વ્”મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.” – મહાત્‍મા ગાંધી

”જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ” – નરસિંહ મહેતા

”બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ” – ટીપુ સુલતાન

”ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ” – બાજીરાવ પહેલો

”ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ” – સ્‍વામી વિવેકાનંદ

”તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ” – સુભાષચંદ્ર બોઝ

”સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ” – બાળ ગંગાધર ટિળકઝ્

”હું માનવી માનવ થાઉ તોય ઘણું. ” – સુન્‍દરમ્

”જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત” – ખબરદાર

” જય જગત. ” – વિનોબા ભાવે

”કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ” – ઇન્દિરા ગાંધી

”મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ” – નરસિંહરાવ દિવેટિયા

”સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા. ” – ઇકબાલ

”ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર. ” – અખો

”વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ” – નરસિંહ મહેતા

”મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ” – મીરાંબાઇ

”એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ” – અખો

”આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ” – નરસિંહરાવ દિવેટિયા

”છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ” – કલાપી

”અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ” – ન્‍હાનાલાલ

”જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ” – બોટાદકર

”મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ” – મહાત્‍મા ગાંધી

”રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ” – મીરાંબાઇ

”સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ” – કલાપી

”કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ” – બાળાશંકર

”હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ” કલાપી

”પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ” – નરસિંહરાવ

”આરામ હરામ હૈ. ” – પંડિત જવાહરલાલ નહેરુ

”જય જવાન, જય કિસાન” –  લાલબહાદુર શાસ્‍ત્રી

”જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન” – અટલબિહારી વાજપેયી

”સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ” – મહાત્‍મા ગાંધી

”ચલો દિલ્‍લી” – સુભાષચંદ્ર બોઝ

”દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ” – મધર ટેરેસા

”દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ” – રવીન્‍દ્રનાથ ટાગોર

”હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ” – મહાત્‍મા ગાંધી

”જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ” – જવાહરલાલ નહેરુ

”જીવન દરમિયાન  મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ” – મહાત્‍મા ગાંધી

”મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ” – ડૉ. રાધાકૃષ્‍ણન્

”માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ” – મહાત્‍મા ગાંધી

”મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ” – કૃષ્‍ણચંદ્ર

”લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ” – જવાહરલાલ નહેરુ

”જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ” – મહાત્‍મા ગાંધી

”ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ” – મહાત્મા ગાંધી

”ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ” – મહાત્‍મા ગાંધી

”જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ” – શ્રી અરવીંદ ઘોષ

”જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ” – જે. કૃષ્‍ણમૂર્તિ

”જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ” –  રામકૃષ્‍ણ

”જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ” – મધર ટેરેસા

”દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ” – આચાર્ય રજનીશ

”આપણા દેશમાં આપણું રાજય” – મદનમોહન માલવિયા

”ગરીબી હટાવો” – ઇન્દિરા ગાંધી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events