માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણી

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણી

આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્‍વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્‍યા છે. તેણે કૃષ્‍ણ જન્‍મના ગુણગાન ગાયા છે તો મનુષ્‍યના મૃત્‍યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્‍યું છે, અને પ્રતિકરૂપે સ્‍મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્‍યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે.
માણસ જન્‍મથી મૃત્‍યુ સુધી અનેક સુખદુઃખમાંથી, કપરા સંજોગોમાંથી પસાર થાય છે, પરંતુ એ એટલો દુઃખી નથી થતો જેટલો તેનું કોઈ સ્‍વજન માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, પતિ કે પત્નિ મૃત્‍યુ પામે છે, સ્‍મશાનયાત્રા નશ્વર દેહને અગ્નિદાહ અને સ્‍મશાનનું તે સમયનું વાતાવરણ, કોઈપણ કઠોર દિલની વ્‍યક્તિને હચમચાવી મૂકે છે, પરંતુ આપણા વેદો માનવને જણાવે છે કે તુ દુઃખી ન થા, આ તો જીવ અને શિવનું મિલન છે. તફાવત એટલો જ છે કે અગાઉ શિવ મનુષ્‍ય દેહમાં ચેતનરૂપી આવેલ આજે ખુદ જીવ શિવને મળવા જાય છે, અને સ્‍મશાન એ શિવનું નિવાસસ્‍થાન છે. સ્‍મશાને અગ્નિ સાથે લઈ જવાતી દોણી મનુષ્‍ય દેહની નિરર્થકતાનું પ્રતિક છે. અગાઉના સમયમાં તો જે અગ્નિ વિવાહકાર્ય સંપન્‍ન કરવામાં ઉપયોગમાં લેવાતો એજ અગ્નિને ઘરમાં વર્ષો સુધી પ્રજવલિત રાખવામાં આવતો અને માણસનું મૃત્‍યું થતાં તે જ અગ્નિને માટલીમાં સ્‍મશાને લઈ જઈ તેનાથી મનુષ્‍ય દેહને અગ્નિદાહ દેવામાં આવતો કાળક્રમે તેમાં ફેરફાર થયો પરંતુ દોણીમાં અગ્નિ લઈ તે અગ્નિ દ્વારા મનુષ્‍ય દેહને અગ્નિદાહ આપવાની વિધી આજે પણ અસ્તિત્‍વ ધરાવે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events