નિષ્‍ક્રમણ સંસ્‍કાર

નિષ્‍ક્રમણ સંસ્‍કાર નિષ્‍ક્રમણ સંસ્‍કાર

નિષ્‍ક્રમણ સંસ્‍કાર

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે.
નિષ્‍ક્રમણ સંસ્‍કારઃ
નિષ્‍ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્‍કાર છે. આ સંસ્‍કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્‍ચારણ થાય છે.
વૈદિક સાહિત્‍યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્‍લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્‍ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. અનુકાલીન સ્‍મૃતિઓ અને નિબંધોમાં આ સંસ્‍કાર સંબંધી પ્રથાઓ તથા કર્મકાંડનું વર્ણન આવે છે.

મહત્‍વઃ
આ સંસ્‍કારનું વ્‍યવારિક તાત્‍પર્ય એ છે કે નિશ્ર્ચિત સમય બાદ બાળકને ઘરની બહાર લાવવામાં આવે છે. વસ્‍તુતઃ આ બાળકના જીવનનું મહત્‍વપૂર્ણ સોપાન છે, જેમાં બાળકને બાહ્ય જગતનો પ્રથમ પરિચય કરાવવામાં આવે છે, અને બાળક ઘરની બહારના જગતના પ્રથમ સંપર્કમાં આવે છે.

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events