કેદારનાથ

કેદારનાથ કેદારનાથ કેદારનાથ કેદારનાથ કેદારનાથ

જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે.
આ બાર જ્યોતિર્લીંગના નામ છે-


કેદારનાથ

ગૌરીકુંડથી કેદારનાથનો રસ્તો સાંકડી કેડીનો બનેલો છે. આ રસ્તે યાત્રિકો ઘોડા, ડોળી કે કંડી મારફત અથવા તો પગે ચાલીને જઈ શકે છે. ૧૫ કિ.મી.ના આકરા ચઢાણવાળા રસ્તે અનુક્રમે જંગલચટ્ટી, રામવાઠા, ધનુર્પાણી, ચટ્ટી અને ગરુડપટ્ટી પસાર કરીને છેવટે કેદારનાથ પહોંચાય છે. આ આખો રસ્તો લીલીછમ વનરાજીથી છવાયેલો છે. ગગનચુંબી પહાડો પરથી અનેક નાના મોટા ઝરણાં ધોધ રૂપે વહીને ખીણમાં વહેતી મંદાકિની નદીમાં પડે છે. જે અદ્ભૂત રસલ્હાણ કરાવે છે.
હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને ૮૦ ફૂટ ઊંચુ છે. પ્રાંગણમાં આવેલ નદીની વિશાળ મૂર્તિની સન્મુખ આવેલ સિંહદ્વારમાં પ્રવેશતાં, મંદિરની અંદર શિવ-પાર્વતી, ઉષા અનિરૂદ્ધ, પાંચ પાંડવો અને શ્રી કૃષ્ણની મૂર્તિઓ છે. ગર્ભગૃહમાં બિરાજતું જયોર્તિલિંગ પરંપરાગત આકારને બદલે પર્વત જેવા ત્રિકોણાકાર આછા ભૂરા પથ્થરનું, નીચેથી પાંચ ફૂટ પહોળું અને બે ફૂટ ઊંચુ છે. અહીં જયોર્તિલિંગ પર ઘી ચોપડવાનો મોટો મહિમા છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતુ. હાલનું મંદિર આધ્ય શંકરાચાર્ય મહારાજે પુનરૂદ્ધાર કરીને બંધાવ્યું હતું અને અહીં દેહત્યાગ કર્યો હતો. મંદિરની બરાબર પાછળ શંકરાચાર્ય મહારાજની સમાધિ આવેલ છે. અહીં ગાંધી સરોવર આવેલ છે જે મંદાકિની નદીનું ઉદ્ગમ સ્થાન છે.
આ મંદિર યાત્રિકો માટે મે થી ઓકટોબર સુધી જ ખુલ્લું રહે છે. શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી આ સમગ્ર વિસ્તાર પુષ્કળ બરફથી છવાયેલો રહે છે. તેથી આ સમય દરમિયાન મંદિર બંધ રહે છે. અને કેદારનાથ મહાદેવની ચલમૂર્તિ ઉખીમઠ લાવીને તેનું અહીં પૂજન થાય છે.

પગે ચાલનારા યાત્રીઓએ ધર્મશાળા કે ચટ્ટી પરથી વહેલી સવારે નીકળી જવું જોઈએ. રસ્તામાં આવતી બીજી ચટ્ટી પર ચા કે દૂધ પી શકાય છે. સવારે શક્તિ પ્રમાણે જેટલું બને તેટલું વધારે ચાલીને રસ્તામાં આવતી ચટ્ટીમાં મુકામ કરવો જોઈએ. ચટ્ટીમાં સ્નાનાદિ કરી, ત્યાંની દુકાનમાંથી સીધું-સામાન લઈને ભોજન બનાવી, જમીને થોડો આરામ કરવો. રોજ તાજી બનાવેલી રસોઈ જમવાથી શરીર સારું રહે છે. ચટ્ટીમાં જે દુકાનેથી સીધું-સામાન ખરીદવામાં આવે છે ત્યાંથી રસોઈ બનાવવાનાં વાસણો મફત મળે છે. ઉતારા માટે પણ કશું લેવાતું નથી. બપોર પછી હંમેશાં થોડું ચાલવાનું અને સાંજ પડતાં પહેલાં ચટ્ટીમાં જગ્યા લઈને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવાનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક યાત્રીઓ અંધારું થતાં સુધી ચાલ્યા જ કરે છે. પરિણામે ચટ્ટી કે ધર્મશાળામાં મુકામ કરવા જાય છે ત્યારે ચટ્ટી યાત્રાઓથી ભરાઈ ગઈ હોય છે, એટલે ઈચ્છાનુસાર સારો ઉતારો મળતો નથી. બદરી, કેદાર, ગંગોત્રી તથા જમનોત્રીની યાત્રા કરનારે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ.

ગુપ્તકાશી : કુંડથી આગળ ચાલતાં ગુપ્તકાશી આવે છે. એ સ્થાન મંદાકિનીના તટ પર વસેલું છે. એનું કુદરતી સૌન્દર્ય અનેરું છે. પર્વતીય પ્રદેશમાંથી આવતી, આગળ વધતી, ને શિલાઓ પર ઊછળતી મંદાકિની કેદારનાથના દર્શનના આનંદને પ્રકટ કરતી હોય એવી ઉલ્લાસમયી લાગે છે. ગુપ્તકાશીની ભૂમિ લીલીછમ અને સુંદર છે. પર્વતો પણ વૃક્ષોની પંક્તિથી ભરેલા છે. ગામમાં મોટું બજાર, પોસ્ટઑફિસ, તાર-ટેલિફોનઘર, આયુર્વેદિક ઔષધાલય, વિશ્રામઘર ને કેટલીય ધર્મશાળાઓ છે. હાઈસ્કૂલ તથા સંસ્કૃત પાઠશાળા પણ છે. પૂર્વકાળમાં ઋષિઓએ ભગવાન શંકરની કૃપાપ્રાપ્તિ માટે આ સ્થળમાં તપ કરેલું એમ કહેવાય છે. રાજા બલિના પુત્ર બાણાસુરની રાજધાની શોણિતપુર આ સ્થળની પાસે હતી એવી એક પરંપરાગત માન્યતા છે. મંદાકિનીની સામી પાર ઊખીમઠ નામે સ્થાનમાં બાણાસુરની પુત્રી ઉષા રહેતી. એની સખી અનિરુદ્ધને દ્વારિકાથી ત્યાં લાવેલી. બાણાસુરની રાજધાની ગયા પટણાના મધ્યમાં બિહાર પ્રાંતમાં બરાબર પર્વત પર હતી. શિયાળામાં કેદારનાથનું મંદિર બંધ થાય છે ત્યારે કેદારનાથની પૂજા ગુપ્તકાશીમાં કરવામાં આવતી હોવાથી ગુપ્તકાશીની મહત્તા વધારે છે. ત્યાં યાત્રીને કેદારનાથના પંડાઓનો મેળાપ થાય છે.

ગુપ્તકાશીમાં ચંદ્રશેખર મહાદેવનું અને અર્ધનારીશ્વરનું એમ બે સુંદર મંદિરો છે. ત્યાં એક કુંડ પણ છે. એમાં ગંગા-જમના નામની બે ધારા પડે છે. કેટલાય યાત્રીઓ એ કુંડને પવિત્ર માનીને એમાં સ્નાન કરે છે.

નાલાચટ્ટી : ગુપ્તકાશીથી દોઢેક માઈલ દૂર નાલાચટ્ટી છે. ત્યાંથી ઊખીમઠ જઈ શકાય છે. કેદારનાથથી પાછા આવીને બદરીનાથ જનારા યાત્રીઓ એ માર્ગે ઊખીમઠ થઈને આગળ વધે છે.

રામપુર : ગુપ્તકાશીથી કેદારનાથ જતા મૈખંડા સ્થાનમાં મહિષમર્દિની દેવીનું મંદિર છે. આગળ વધતાં રામપુર આવે છે. ત્યાં કાલી કમલીવાલાની ધર્મશાળા છે. ત્યાંથી કેદારનાથ સીધા જવાને બદલે મોટા ભાગના યાત્રીઓ ત્રિયુગીનારાયણના દર્શન માટે જાય છે. રસ્તામાં ત્રણેક માઈલનું ચઢાણ આવે છે. રસ્તામાં શાકંભરી દેવી અથવા મનસાદેવીનું મંદિર છે. ત્યાંના પૂજારી યાત્રી પાસેથી દેવીને માટે કપડાંની ભેટ માગે છે.

ત્રિયુગીનારાયણ : ત્રિયુગીનારાયણચટ્ટી પ્રાચીન સ્થાન છે. ત્યાં શિવપાર્વતીનું લગ્ન થયેલું એમ કહેવાય છે. એની સ્મૃતિમાં અખંડ અગ્નિજ્વાળા સળગે છે. યાત્રીઓ એમાં લાકડાં નાખે છે. શિવપાર્વતીનું લગ્ન ભગવાન નારાયણની સાક્ષીમાં થયેલું. એની સ્મૃતિ કરાવતી, હવનકુંડની સામે ભગવાનની મૂર્તિ જોવા મળે છે. મંદિરમાં ભગવાન નારાયણ ભૂદેવી ને લક્ષ્મીદેવી સાથે વિરાજે છે. ત્યાં ગંગાની એક ધારા સરસ્વતી પણ છે. તેના ચાર કુંડ છે. બ્રહ્મકુંડમાં આચમન, રુદ્રકુંડમાં સ્નાન, વિષ્ણુકુંડમાં માર્જન અને સરસ્વતીકુંડમાં તર્પણ કરવામાં આવે છે.

સોમદ્વારા : સોમદ્વારા અથવા સોમપ્રયાગ ત્રિયુગીનારાયણથી ત્રણ માઈલ છે. ત્યાં મંદાકિની ને સોમ નદીનો સંગમ થાય છે. સંગમનું દૃશ્ય ઘણું સુંદર છે. ત્યાંથી પૂલ પાર કરીને ગૌરીકુંડ થઈને કેદારનાથ પહોંચવા આગળ વધાય છે. આ સ્થળથી શરૂ થતું ચઢાણ કાચાપોચા યાત્રીની કસોટી કરનારું છે.

ગૌરીકુંડ : ગૌરીકુંડમાં કાલી કમલીવાલાની ધર્મશાળા ને ગૌરીનું મંદિર તો છે જ, પરંતુ એના નામ પરથી સૂચિત થાય છે તેમ, કુંડ પણ છે. એક કુંડ ગરમ પાણીનો ને બીજો ઠંડા પાણીનો છે. કહે છે કે પાર્વતીએ એ કુંડમાં સૌથી પ્રથમ સ્નાન કરેલું. ગૌરીકુંડમાં સ્નાન કરીને યાત્રી પોતાની રહીસહી અશુદ્ધિને દૂર કરે છે, અને ભગવાન શંકરના દર્શન માટે શ્રદ્ધાભક્તિપૂર્વક આગળ વધે છે.
કેદારનાથ : ગૌરીકુંડથી રામવાડા થઈને કેદારનાથની પુણ્યમયી ભૂમિમાં પ્રવેશ કરતી વખતે અંતર એક પ્રકારના ઉત્કટ, અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે. ભાવિક સ્ત્રીપુરુષ ‘કેદારનાથ ભગવાન કી જય’, ‘શંકર ભગવાન કી જય’ના બુલંદ પોકારો પાડતાં આગળ વધે છે. કેદારનાથના પ્રદેશના લીલાછમ ઘાસવાળા પર્વતો ઘણા રમણીય લાગે છે, આંખ અને અંતરને આનંદ આપે છે. રસ્તામાં પર્વતો પરથી મોટામોટા ધોધ પડતા દેખાય છે. ગુલાબના ફોરમવંતા ફૂલો જોવા મળે છે. બીજાં પણ અનેક રંગબેરંગી ફૂલોનું દર્શન થાય છે. કેદારનાથના બરફથી ઢંકાયેલા પર્વતોનું દર્શન માર્ગમાં થોડેક દૂરથી થાય છે ત્યારે પ્રવાસનો બધો પરિશ્રમ સફળ થયેલો લાગે છે. એમાંય જ્યારે એ હિમાચ્છાદિત શિખરો પર સૂર્યકિરણો અથવા ચાંદની ફરી વળે છે ત્યારે તો એમની શોભા અત્યંત અદ્દભુત બની જાય છે. એ શોભાનું સાંગોપાંગ વર્ણન વાણી નથી કરી શકતી. સંધ્યાસમયે એ પર્વતશિખરો સોનેરી બની જાય છે. સંધ્યા પછી મંદિરમાં આરતી થાય છે.

રુદ્રપ્રયાગથી કેદારનાથનો માર્ગ : ૪૮ માઈલનો યાત્રામાર્ગ
સમુદ્ર સપાટીથી ઊંચાઈ
(ફૂટ)     સ્થાન      સાધન     આગળના સ્થાનથી અંતર
(માઈલ)
ર.000     રુદ્રપ્રયાગ     મોટર     –
3,000     અગસ્તમુનિ     મોટર     ૧૧.પ
3,000     કુંડચટ્ટી     મોટર     ૧0
૪,૯પ0     ગુપ્તકાશી     પૈદલ, ઘોડા, દંડી, કંડી     ર
નાલાચટ્ટી         ૧.પ
નારાયણકોટી         ર
બ્યોંગ ભલ્લા         ૧.પ
પ, રપ0     ફાટાચટ્ટી     પૈદલ, ઘોડા, દંડી, કંડી     ર
રામપુરચટ્ટી         3
ત્રિયુગીનારાયણચટ્ટી         ૪.૭પ
સોમદ્વારા         3.રપ
૬,પ00     ગૌરીકુંડ     પૈદલ, ઘોડા, દંડી, કંડી     3
રામવાડા         ૪
જંગલચટ્ટી         ૧
ગરુડચટ્ટી          ૧
૧૧,૭પ3     કેદારનાથ     પૈદલ, ઘોડા, દંડી, કંડી     ૧

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events