ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. (૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી. (૨)પુષ્ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ. (૩) મિષ્ટ દ્રવ્યો : [...]
ઓમકાર મહાત્મય આપણા વેદશાસ્ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્થાન આપ્યું છે. આ ઓંકારનો ઉચ્ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા
દુનિયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જીંદગી જીવે છે પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે
ભારતીય સંસ્કૃતિ વિશેષ પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ પંચતત્વ પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ ત્રણ ગુણ સત્વ, રજ અને તમસ ત્રણ દોષ વાત, પિત્ત, કફ ત્રણ લોક આકાશ, મૃત્યુલોક, પાતાળ સાત સાગર ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર સાત દ્વીપ જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ જીવ જલચર, નભચર, થલચર ત્રણ વાયુ શીતલ, મંદ, સુગંધ ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર [...]
હિંન્દુ સંસ્કૃતિનાં આધારરુપ મહાન શાસ્ત્રો * શાસ્ત્રો માનવ જીવનને ધડે છે.શાસ્ત્રો આપણી પરંપરાઓનું જ્ઞાન આપે છે.શાસ્ત્રો આપણી આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ કરાવે છે.ભારતિય સંસ્કૃતિએ આવાં શાસ્ત્રોની લાબી શ્રેણી આપી છે. એ પૈકી સંસ્કૃતિના આધારરુપ કેટલાક આપણા મહાન શાસ્ત્રો આ મુજબ છેઃ
આરોગ્ય વિજ્ઞાનના પ્રથમ આંદોલનો ફેલાવ્યાભારતીય સંસ્કૃતિએ… * હજારો વર્ષ પહેલાં વિશ્વને આરોગ્યનો એકડો ધુટાવનાર છે ભારત.વૈદિક સમયમાં ભારતીય ઋષિઓએ’આર્યુવેદ’દ્રારા આરોગ્ય વિજ્ઞાનનો સૌપ્રથમ પ્રકાશ ફેલાવ્યો હતો.શસ્ત્રક્રિયા(સર્જરી)થી માડીને બાળરોગો તેમજ ઔષધ વિજ્ઞાન(ફાર્મસી)થી માંડીને પશુઓના આરોગ્ય સુધી આર્યુવેદના પ્રાચીન ઋષિઓ-આચાર્યોએ હજારો રોગો અને તેના ઉપચાર પર સમગ્ર વિશ્વને અદભુત માર્ગદર્શન આપ્યુ છે. આ આયુર્વેદ આજેય વિશ્વના સૌથી પ્રાચીન આરોગ્ય વિજ્ઞાન તરીકે લાખો લોકોને આરોગ્ય બક્ષે છે. વિશ્વના સૌપ્રથમ ફિઝિશિયન હતાઃ ભારતીય… * ભારતના [...]
પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે “હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે “તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં [...]
કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો [...]
દ્વાદશ બાર જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું પવિત્ર જ્યોતિર્લિંગ છે. તેને ધુશ્મેશ્વર, ધૃસૃણેશ્વર કે ધૃષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્ર પ્રદેશમાં દૌલતાબાદથી બાર માઇલ દૂર વેલુર ગામની પાસે આવેલું છે. દક્ષિણ દેશમાં દેવગિરિ પર્વતની નજીક સુધર્મા નામનો એક અત્યંત તેજસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. તેમને કોઈ સંતાન નહોતું જ્યોતિષ જાણવાથી ખબર મળી કે સુદેહાને સંતાનપ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તેને સંતાનની ઘણી ઇરછા હતી. તેના આગ્રહથી સુધર્માનું [...]



