ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ??

ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ?? ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ??

આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? નિશ્ચિત રૂપે આપણે મોટો ફૂગ્ગો જ પસંદ કરીશું. જેવી રીતે આવા ફૂગ્ગા આપણને દુકાનમાંથી પ્રાપ્ત થાય છે તેવાં જ આપણી છાતીમાં બે મોટા ફૂગ્ગાઓ છે. જેને આપણે ફેફસાંના નામે ઓળખીયે છીએ. જે આપણા શરીરમાં આવની હવાને પ્રાણવાયુમાં રૂપાંતરીત કરે છે.

આપણા ફેફસાં જો નાના અને કમજોર બને તો તે ન તો આપણને પસંદ પડે ન તો ભગવાનને. આવા કમજોર શરીરમાં ભગવાન ક્યારેય નિવાસ નહીં કરે, તો શું એ ઠીક કહેવાય? નહીં ને? તો પછી આપણે આ ફેફસાં માટે સારી રીતે વ્યાયામ કરવું જોઇએ. જેમ સૂર્ય નમસ્કાર કરવાથી પૂરા શરીરનું વ્યાયામ થાય છે. અધ્યયન કરવાથી બુદ્ધિનું વ્યાયામ થાય છે. સંસ્કૃતના શ્લોકો-સ્તોત્ર બોલવાથી જિહવાનું વ્યાયામ થાય છે. તેવી જ રીતે પ્રણવોચ્ચાર કરવાથી આપણા ફેફસાંનું વ્યાયામ થાય છે.

કેટલીક વાર આપણે જોઇએ છીએ કે થોડુંક જ કામ કરવા પર પણ આપણને થાકનો અનુભવ થાય છે. અગર આપણે દિવસભરમાં ઓછામાં ઓછું ૫ મિનિટ પણ પ્રણવોચ્ચાર કરીએ છીએ તો ફેફસાંનું ઘણી સારી રીતે વ્યાયામ મળી શકે છે. આપણને જલદી થાક અનુભવ નહીં થાય, આપણી કાર્ય ક્ષમતા પણ વધી જાય છે અને શ્વાસ સંબંધી કોઇ પણ સમસ્યા હોય તો સમાપ્ત થઈ જાય.

એમ જોવામાં આવે તો મનુષ્યનું શરીર ઘણું મૂલ્યવાન છે, પરંતુ એનું મહત્વ આપણે સમજતા જ નથી. હવે તમે જ બતાવો કે શ્વાસ લેતી વખતે આપણું પેટ અંદર જાય કે બહાર આવે? આપણને એવું લાગશે કે તદ્દન સહેલી વાત છે, કે જ્યારે શ્વાસ લઇશું તો પેટ બહાર આવશે. નહીં !! આ વાત ખોટી છે. તમે જાતે જ પ્રયોગ કરી જુઓ. જ્યારે શ્વાસ લેશો ત્યારે પેટ અંદર જશે અને જ્યારે શ્વાસ છોડશો ત્યારે પેટ બહાર આવશે. હવે તમે જ કહો કે જન્મ્યાં પછી આપણે એક પળ પણ એવી નથી કે જ્યારે આપણે શ્વાસ નહીં લીધો હોય, પરંતુ શું આપણે આ બાબત ઉપર પહેલાં ધ્યાન આપ્યું હતું?

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events